ડૉ. આંબેડકર: સંઘર્ષમય અને કઠોર પરિશ્રમ દ્વારા માનવમૂલ્યોની કેળવણી.

પ્રવીણભાઇ. કે મકવાણા

મુખ્યશિક્ષકશ્રી, આંગણકા પ્રાથમિક શાળા, તા, મહુવા, જિ, ભાવનગર.

“  શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરો “ આ સૂત્ર આપનાર  સમગ્ર વિશ્વના મહામાનવ એટલે ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. તેમણે તા ૧૧/૯/૧૯૩૮ રવિવારે પૂણે ખાતે યોજાયેલા વિદ્યાર્થી સંમેલનમાં આપેલ પ્રવચન આપણને સૌને કેળવણી વિષયક તેમના વિચારોથી પ્રેરણા આપે છે.

“મારું જીવન તો હાલમાં ગામડાંમાં વસતા અભણ અને જુલમ – અત્યાચારથી ત્રસ્ત થયેલા લોકોની ફરિયાદો સાંભળીને તેમનું સુખદ નિવારણ કરવાની ચિંતામાં પસાર થઇ રહ્યું છે. તેના કારણે વિદ્યાર્થી વર્ગ તરફ જોઇએ તેટલું ધ્યાન આપવાનો મને અવસર મળતો નથી. તેથી હું વિદ્યાર્થીઓ તરફ દુર્લક્ષ સેવી રહ્યો છું એવી વાત કેટલાક લોકો ફેલાવી રહ્યાં છે. મારે મન સદાય વિદ્યાર્થીઓનું હિત સમાયેલું છે. “

પુસ્તકો મારે મન વ્યસન.

કોઇપણ એક કાર્ય વ્યવસ્થિત રીતે પાર ના પાડવું અને બીજા અનેક કામોમાં હાથ નાંખવો યોગ્ય નથી. હું રાજકારણ – સમાજ કાર્યમાં પરોવાયો છું. છંતા આજીવન  વિદ્યાર્થી જ છું. તેથી વિદ્યાર્થી જ વિદ્યાર્થીનો વિરોધી કેવી રીતે રહી શકે ? મારે જરૂરી અભ્યાસ માટે વારે ઘડીયે પુસ્તકો ખરીદવાનું દેવું છે. મારી શાખને કારણે મુંબઇની કોઇપણ પુસ્તકની દુકાનમાંથી હું પુસ્તક   ઉધાર લાવી શકું છું. આંબેડકર પોતે જ લખે છે કે મારા તરફ અસ્પૃશ્યતા એટલી હતી કે મારી સાથે કોઇ વાત કરવા પણ તૈયાર ન હતું મને સારી કંપની જોઇતી હતી છેવટે મેં પુસ્તકોને મારા મિત્ર બનાવી દીધા.     I used to leave the inn at about ten a.m. for the office , and return late at about eight in the evening , contriving to while away outside the inn as much time in the company of friends as I could. The idea of returning to the inn to spend the night therein was most terrifying to me, and I  used to return to the inn only because I had no other place under the sky to go for rest. In this big hall on the first floor of the inn there were no fellow  human beings to talk to. I was quite alone. The whole hall was enveloped in complete darkness. There were no electric lights, nor even oil lamps to relieve the darkness. The caretaker used to bring up for my use a small hurricane lamp. Its light could not extend  beyond a few inches.   આ દર્દ બાબાસાહેબનું હતું.  મારા જ્ઞાન પ્રાપ્તિના કાર્યમાં કદી પણ વિક્ષેપ પડવા દેતો નથી. મારે મન વિદ્યાની ઉપાસના એ મારું બહું મોટું વ્યસન બની ગયું છે. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી અવસ્થામાં કેમ વર્તવું તે બાબતમાં હું મારા સ્વાનુભવના આધારે  કંઇક તો કહીશ. જે સમાજમાં છેલ્લા હજારો વરસો સુધી કોઇપણ જાતનું શિક્ષણ ન હતું. તે સમાજના પુષ્કળ લોકો હમણાં હમણાં યુનિર્વસિટીની પદવી લઇને બહાર આવતા જોઇને કોને સંતોષ ના થાય ?  પહેલા તો આપણા સમાજમાંથી બી.એ. ની પદવી મેળવનાર નામ મળતા જ ન હતા. થોડાંક  વર્ષ પહેલાં કૃષ્ણા જિલ્લામાં આપણા સમાજની એક વ્યક્તિ પ્રથમ બી.એ. પાસ થઇ હતી. તેના કારણે તે માણસ એટલી બધી પ્રસિદ્ધિ પામ્યો કે તેનું નામ માત્ર લખીને કાગળ લખી બી.એ. લખો એટલે ટપાલી તેને પત્ર પહોંચાડી દેતો. એટલુ બી.એ. લખવાથી સમાજમા તે જાણીતો બની જતો, પણ જો રમૂજમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અત્યારે અહીં હાજર રહેલા લોકો વચ્ચે જો કાંકરી ફેંકવામાં આવે તો બી.એ. પાસ થયેલાને  જ વાગશે.

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો.

આજના જીવનસંઘર્ષની લડાઇમાં આગળ વધેલા લોકો કરતાં આપણે જો પાછા પડીશું તો આપણી સુરક્ષા નહીં રહે, કારણ કે આજે વિવિધ સ્થાન પર આગળ પડતા લોકો જ બેઠા છે. માત્ર બી.એ. પાસ થવાથી તમને નોકરી મળશે નહીં. માત્ર બુદ્ધિનો પ્રભાવ પાડી સફળ થવાશે નહિ. તમે જે શિક્ષણ મેળવ્યું છે તેના મૂલ્યોથી નવ નિર્માણ કરવું પડશે. અભણ મા- બાપના પેટે જન્મ લઇને જો બી.એ. થાવ તો અભિમાન રાખશો નહિ. આપણી ફરજનું ભાન રાખીને ધગશથી ભણો. હું સૌપ્રથમ બેરિસ્ટર થઇને આવ્યો ત્યારે મહારડા બેરિસ્ટર એવું કહીને મને હીન ગણતા હતા. મેં મારી યોગ્યતા સાબિત કરીને તેમના મોંઢા બંધ કરી દીધા હતા. જ્યારે આપણે સોનાના મૂલ્ય જેટલું કાર્ય કરીશું, ત્યારે ઇતર વર્ગના લોકો તે કાર્યને કથિરના મૂલ્ય જેટલું આંકશે. આપણે કોઇ પણ કાર્ય જ્યારે તેમના કરતા સો ઘણું સારું અને સાચું કરીશું ત્યારે તેમની બરાબરીમાં આપણી ગણતરી થશે. આ બધું કરવા સારું આપણામાં ભરપૂર આત્મવિશ્વાસ નિર્માણ કરવાની જરૂર છે.

આત્મવિશ્વાસની શક્તિ.

આપણે આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર કામ કરવુ જોઇએ. જેમ કુસ્તી રમવા માટે અખાડામાં ઉતરેલો પહેલવાન જો સામાવાળા પહેલવાનની જાંઘ પર થાપ મારીને કરાતા હોંકારા પડકારાથી ગભરાઇ જાય તો તેનાથી કાંઇ જ ન થઇ શકે. હું જે કરીશ તે થઇને જ રહેવાનું છે. અર્થાત્  કે હું બધું આત્મવિશ્વાસથી કહેતો હોઉં છું. મારું આવું કહેવાથી કેટલાંક લોકો મને અહંકારી કહી મારી નિંદા કરતા હશે, પણ આ હું મારા આત્મવિશ્વાસને આધારે કહું છું. હું પણ તમારી જેમ એક મહારબાઇના પેટે જન્મ્યો છું. ગરીબીની દ્રષ્ટિએ વિચારીએ તો આજના ગરીબોમાં યે ગરીબ વિદ્યાર્થી કરતા તે વખતે મને કોઇ સારી સગવડ અથવા ઇતર અનુકૂળતા નહોતી. મુંબઇના ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ચાલીમાં દસ ફૂટ લંબાઇ અને દસ ફૂટ પહોળાઇની એ ખોલીમાં મા – બાપ ભાઇઓ સાથે રહીને એક પૈસાનું ઘાસતેલ વાપરીને અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં પણ અનેક સગવડો અને સંકટોનો સામનો કરીને જો હું આટલું કરી શક્યો હોય તો તમને આજે ઘણી સાધન સામગ્રી મળી છે. તમે તેનો ઉપયોગ કરી અશક્યને શક્ય બનાવો. કોઇ પણ માણસ સતત કઠોર પરિશ્રમ અને મહેનતથી પરાક્રમી અને બુદ્ધિશાળી બની શકે છે. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં ઇંગ્લેન્ડ હતો ત્યારે જે અભ્યાસક્રમ આઠ વરસે પૂરો થતો હતો તે અભ્યાસ મેં બે વર્ષ અને ત્રણ મહિનામાં સફળતાથી પૂરો કર્યો હતો. તેના માટે મારે રોજના ચોવીસ કલાકમાંથી અઢાર કલાક અભ્યાસ કરવો પડ્યો હતો. આજે પણ મારે ખુરશી પર રોજના વીસ કલાક કામ કરવું પડે છે. આજના યુવાનોને વ્યસનમાં ડૂબેલા જોઉં છું ત્યારે નારાજ થાવું છું. મને તો આ પાછલી ઉંમરે પણ કોઇ વ્યસન અભ્યાસ માટે કરવું જરૂરી લાગતું નથી. આત્મવિશ્વાસ એ એક દૈવી શક્તિ છે.

કઠોર પરિશ્રમથી જ યશ મળે.

માત્ર નવી પદવી મેળવવાથી જ્ઞાન કે અનુભવ મળતો નથી. પદવી એ કોઇ જ્ઞાન નથી. વિશ્વ વિદ્યાલયોની પદવીઓ અને બુદ્ધિમતાની વચ્ચે કોઇ સંબંધ નથી. જેમકે પંચમ જ્યોર્જ જ્યારે ૧૯૧૧ની સાલમાં હિન્દુસ્તાનમાં વિશ્વવિદ્યાલયોને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી અને નિષ્ણાંત પ્રોફેસરોને બોલાવીને કામ સોંપવામાં આવ્યું. જે લોકો એમ.એ. પાસ કર્યુ હોય તેઓ જ આ વર્ગમાં હાજર રહી શકે. રામાનુજ નામનો ક્લાર્ક માત્ર મેટ્રિક પાસ હતો. તે મહિને વીસ રૂપિયા પગારથી નોકરી કરતો હતો. તેની પ્રબળ ઇચ્છા હોવાથી ગણિત નિષ્ણાંત દ્વારા વ્યાખ્યાન માટે પરવાનગી આપવામાં આવી હતી. રામાનુજે તે પ્રોફેસરના પાંચ- છ વ્યાખ્યાન સાંભળી પોતાની નોટમાં કંઇક લખતો હતો. આ જોઇ ગણિતના પ્રોફેસર ગુસ્સે થયા. કડક શબ્દોમાં ઠપકો આપ્યો. રામાનુજે સ્વસ્થતાથી કહ્યું, મહાશય આપ જે પ્રમેયો ભણાવી રહ્યા છો તે મેં મારી વિદ્યાર્થી અવસ્થામાં જ ઉકેલી નાખ્યા છે. મેં મારી નોટબુકમાં ઉકેલી નાખ્યા છે. જ્યારે આ મહાશય નોટબુક જુએ છે ત્યારે અચરજમાં પડી જાય છે. આ મહાશય ખુદ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા વિભાગને પત્ર લખી જણાવે છે કે તમે આવા પારંગત વ્યક્તિને મહિને ૨૦ (વીસ) રૂપિયા પગાર આપી કારકૂન રાખો છો તે મોટું દુ:ખ છે. ગણિતના આ પ્રોફેસર આગળ જતાં રામાનુજને  વિલાયત લઇ ગયા. રામાનુજના અપ્રતિમ ગણિતના જ્ઞાનનો લાભ લેવા ભારે પગાર આપી વિદેશ લઇ ગયા અને પોતે આજીવન રામાનુજના વિદ્યાર્થી બની ગયા. આમ વિદ્યાર્થીએ સમજી લેવું જોઇએ કે આપણે બી.એ. પાસ થઇ ગયા એટલે આગળ ભણવાનું કશું બાકી રહેતું નથી એમ માનવું નહિ. સતત જ્ઞાન મેળવતા રહેવું જોઇએ.

ચારિત્ર્યનું મહત્ત્વ.

માનવીમાં જો ચારિત્ર્ય, નૈતિકતા ન હોય તો પ્રાપ્ત કરેલી તમામ વિદ્યા ફોગટ જાય છે. વિદ્યા તલવારની ધાર જેવી છે પણ એનો સઘળો આધાર તેને ધારણ કરવાવાળા પર અવલંબિત છે. કારણ કે અભણ માણસ કોઇને છેતરતો નથી. કોઇને કેમ છેતરવા એની તેને સમજ પડતી નથી. આપણે ભણેલા – ગણેલા લોકો પાસે બીજાને છેતરવાની ચતુરાઇ કે યુક્તિ- પ્રયુક્તિ હોય છે. આમ ભણેલા વ્યક્તિમાં જો શીલતા સદાચાર હોય તો તે બીજા માણસ સાથે લબાડાઇ કે છેતરામણી કરી શકે નહિ. આમ માણસમાં નૈતિકતાનું મૂલ્ય શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે. ભણેલા- ગણેલા નૈતિકતાથી જીવન જીવે તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાના શસ્ત્ર માટે શીલતા અને નૈતિકતા ખરો આધાર છે.

વિદ્યાર્થીજીવન અને રાજકારણ

વિદ્યાર્થીઓએ વિદ્યાનો ઉપયોગ માત્ર  પોતાના પેટ ભરવા પૂરતો ન કરવો જોઇએ. સ્પૃશ્ય સમાજની સરખામણીએ તમારી મુશ્કેલીઓ ઘણી વધારે છે. તમારે ભણી- ગણીને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બધી રીતે તમારો માર્ગ કાંટાળો છે. કયા ઉપાયથી આ માર્ગ સહેલો બનાવી શકાય તે તમારે વિચારવું પડશે. આપણે બધાએ સંગઠન કરી એકતા ઉભી કરવી પડશે. સમાજમાં આ ભેદભાવની નગરીના કિલ્લામાં ક્યાંક તો તિરાડ પડ્યા વગર રહેવાની જ નથી. વિદ્યાર્થીઓએ વ્યક્તિગત સ્વાર્થ છોડી સંગઠન ઉભું કરવું પડશે. વ્યક્તિગત સ્વાર્થ છોડી સમાજના હિતને ધ્યાને લેવું જોઇએ. જો આપણે એક થઇ કંઇક કરીશું તો આપણા સમાજ પર હજારો વર્ષોથી થતા જુલમ- અત્યાચારોનું નિવારણ થઇ શકશે. આપણે આપણા શીલ, શિસ્ત, સંગઠન, દ્વારા સમાજની ઉન્નતિ કરવી જોઇએ.

ડૉ. આંબેડકરનું જીવન સમગ્ર ભારતમાં જ નહિ પણ વિશ્વના કરોડો દલિતો, પીડિતો, વંચિતો, શોષિતો માટે દિપક સમાન છે. તેમના વિચારો સમાજને વિકાસના માર્ગે લઇ જાય છે. કેળવણીની કેડીયે આંબેડકરજીનું જીવન અને વિચારો શ્રેષ્ઠતમ માનવમૂલ્યોને ઉજાગર કરે છે.

ડૉ. આંબેડકરજીના જીવન અને કવન માટે કવિ કુતુબ ‘આઝાદ’ ની કાવ્યપંક્તિઓ અર્પણ…. હજો…..

ઉકેલે છે ઘણાં મહેનત કરી અઘરી સમસ્યાઓ,

ઘણાં જોતા રહે છે જિંદગીભર હસ્તરેખાઓ.

નથી પુરુષાર્થ કંઇ કરતાં, નથી કરતાં પ્રયાસો કંઇ,

કરી શકતાં નથી સાકાર તેઓ કોઇ સ્વપ્નાઓ.

હશે જો ધ્યેય લોખંડી તો મંઝિલ પણ મળી જશે,

ભલેને માર્ગમાં કોઇ કરે કંટક પથારાઓ.

કસોટીનાં સમય ટાણે પરાયા કામ નહિ આવે,

બધા છે સ્વાર્થનાં સાથી અમારાને તમારાઓ.

પ્રભુને જ્યાંને ત્યાં શોધો નહીં દિલમાં વસે છે એ,

ધૂતારાઓ લઇ બેઠા છે ઇશ્વરનાં ઇજારાઓ.

કદી તૂફાનમાં મરશું તો સ્વાગત ભવ્ય થવાનું,

કિનારે લાશને મૂકી જાશે આવીને મોજાઓ.

પ્રવાહોને સમયનાં ઓળખી ‘આઝાદ’ જે ચાલે,

ગમે તે ક્ષેત્રમાં જઇને બને છે એ વિજેતાઓ.

 

 

પ્રવીણભાઇ. કે મકવાણા

મુખ્યશિક્ષકશ્રી, આંગણકા પ્રાથમિક શાળા, તા, મહુવા, જિ, ભાવનગર.

“  શિક્ષિત બનો, સંગઠિત બનો, અને સંઘર્ષ કરો “ આ સૂત્ર આપનાર  સમગ્ર વિશ્વના મહામાનવ એટલે ડૉ.ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. તેમણે તા ૧૧/૯/૧૯૩૮ રવિવારે પૂણે ખાતે યોજાયેલા વિદ્યાર્થી સંમેલનમાં આપેલ પ્રવચન આપણને સૌને કેળવણી વિષયક તેમના વિચારોથી પ્રેરણા આપે છે.

“મારું જીવન તો હાલમાં ગામડાંમાં વસતા અભણ અને જુલમ – અત્યાચારથી ત્રસ્ત થયેલા લોકોની ફરિયાદો સાંભળીને તેમનું સુખદ નિવારણ કરવાની ચિંતામાં પસાર થઇ રહ્યું છે. તેના કારણે વિદ્યાર્થી વર્ગ તરફ જોઇએ તેટલું ધ્યાન આપવાનો મને અવસર મળતો નથી. તેથી હું વિદ્યાર્થીઓ તરફ દુર્લક્ષ સેવી રહ્યો છું એવી વાત કેટલાક લોકો ફેલાવી રહ્યાં છે. મારે મન સદાય વિદ્યાર્થીઓનું હિત સમાયેલું છે. “

પુસ્તકો મારે મન વ્યસન.

કોઇપણ એક કાર્ય વ્યવસ્થિત રીતે પાર ના પાડવું અને બીજા અનેક કામોમાં હાથ નાંખવો યોગ્ય નથી. હું રાજકારણ – સમાજ કાર્યમાં પરોવાયો છું. છંતા આજીવન  વિદ્યાર્થી જ છું. તેથી વિદ્યાર્થી જ વિદ્યાર્થીનો વિરોધી કેવી રીતે રહી શકે ? મારે જરૂરી અભ્યાસ માટે વારે ઘડીયે પુસ્તકો ખરીદવાનું દેવું છે. મારી શાખને કારણે મુંબઇની કોઇપણ પુસ્તકની દુકાનમાંથી હું પુસ્તક   ઉધાર લાવી શકું છું. આંબેડકર પોતે જ લખે છે કે મારા તરફ અસ્પૃશ્યતા એટલી હતી કે મારી સાથે કોઇ વાત કરવા પણ તૈયાર ન હતું મને સારી કંપની જોઇતી હતી છેવટે મેં પુસ્તકોને મારા મિત્ર બનાવી દીધા.     I used to leave the inn at about ten a.m. for the office , and return late at about eight in the evening , contriving to while away outside the inn as much time in the company of friends as I could. The idea of returning to the inn to spend the night therein was most terrifying to me, and I  used to return to the inn only because I had no other place under the sky to go for rest. In this big hall on the first floor of the inn there were no fellow  human beings to talk to. I was quite alone. The whole hall was enveloped in complete darkness. There were no electric lights, nor even oil lamps to relieve the darkness. The caretaker used to bring up for my use a small hurricane lamp. Its light could not extend  beyond a few inches.   આ દર્દ બાબાસાહેબનું હતું.  મારા જ્ઞાન પ્રાપ્તિના કાર્યમાં કદી પણ વિક્ષેપ પડવા દેતો નથી. મારે મન વિદ્યાની ઉપાસના એ મારું બહું મોટું વ્યસન બની ગયું છે. વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી અવસ્થામાં કેમ વર્તવું તે બાબતમાં હું મારા સ્વાનુભવના આધારે  કંઇક તો કહીશ. જે સમાજમાં છેલ્લા હજારો વરસો સુધી કોઇપણ જાતનું શિક્ષણ ન હતું. તે સમાજના પુષ્કળ લોકો હમણાં હમણાં યુનિર્વસિટીની પદવી લઇને બહાર આવતા જોઇને કોને સંતોષ ના થાય ?  પહેલા તો આપણા સમાજમાંથી બી.એ. ની પદવી મેળવનાર નામ મળતા જ ન હતા. થોડાંક  વર્ષ પહેલાં કૃષ્ણા જિલ્લામાં આપણા સમાજની એક વ્યક્તિ પ્રથમ બી.એ. પાસ થઇ હતી. તેના કારણે તે માણસ એટલી બધી પ્રસિદ્ધિ પામ્યો કે તેનું નામ માત્ર લખીને કાગળ લખી બી.એ. લખો એટલે ટપાલી તેને પત્ર પહોંચાડી દેતો. એટલુ બી.એ. લખવાથી સમાજમા તે જાણીતો બની જતો, પણ જો રમૂજમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અત્યારે અહીં હાજર રહેલા લોકો વચ્ચે જો કાંકરી ફેંકવામાં આવે તો બી.એ. પાસ થયેલાને  જ વાગશે.

શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો.

આજના જીવનસંઘર્ષની લડાઇમાં આગળ વધેલા લોકો કરતાં આપણે જો પાછા પડીશું તો આપણી સુરક્ષા નહીં રહે, કારણ કે આજે વિવિધ સ્થાન પર આગળ પડતા લોકો જ બેઠા છે. માત્ર બી.એ. પાસ થવાથી તમને નોકરી મળશે નહીં. માત્ર બુદ્ધિનો પ્રભાવ પાડી સફળ થવાશે નહિ. તમે જે શિક્ષણ મેળવ્યું છે તેના મૂલ્યોથી નવ નિર્માણ કરવું પડશે. અભણ મા- બાપના પેટે જન્મ લઇને જો બી.એ. થાવ તો અભિમાન રાખશો નહિ. આપણી ફરજનું ભાન રાખીને ધગશથી ભણો. હું સૌપ્રથમ બેરિસ્ટર થઇને આવ્યો ત્યારે મહારડા બેરિસ્ટર એવું કહીને મને હીન ગણતા હતા. મેં મારી યોગ્યતા સાબિત કરીને તેમના મોંઢા બંધ કરી દીધા હતા. જ્યારે આપણે સોનાના મૂલ્ય જેટલું કાર્ય કરીશું, ત્યારે ઇતર વર્ગના લોકો તે કાર્યને કથિરના મૂલ્ય જેટલું આંકશે. આપણે કોઇ પણ કાર્ય જ્યારે તેમના કરતા સો ઘણું સારું અને સાચું કરીશું ત્યારે તેમની બરાબરીમાં આપણી ગણતરી થશે. આ બધું કરવા સારું આપણામાં ભરપૂર આત્મવિશ્વાસ નિર્માણ કરવાની જરૂર છે.

આત્મવિશ્વાસની શક્તિ.

આપણે આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર કામ કરવુ જોઇએ. જેમ કુસ્તી રમવા માટે અખાડામાં ઉતરેલો પહેલવાન જો સામાવાળા પહેલવાનની જાંઘ પર થાપ મારીને કરાતા હોંકારા પડકારાથી ગભરાઇ જાય તો તેનાથી કાંઇ જ ન થઇ શકે. હું જે કરીશ તે થઇને જ રહેવાનું છે. અર્થાત્  કે હું બધું આત્મવિશ્વાસથી કહેતો હોઉં છું. મારું આવું કહેવાથી કેટલાંક લોકો મને અહંકારી કહી મારી નિંદા કરતા હશે, પણ આ હું મારા આત્મવિશ્વાસને આધારે કહું છું. હું પણ તમારી જેમ એક મહારબાઇના પેટે જન્મ્યો છું. ગરીબીની દ્રષ્ટિએ વિચારીએ તો આજના ગરીબોમાં યે ગરીબ વિદ્યાર્થી કરતા તે વખતે મને કોઇ સારી સગવડ અથવા ઇતર અનુકૂળતા નહોતી. મુંબઇના ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની ચાલીમાં દસ ફૂટ લંબાઇ અને દસ ફૂટ પહોળાઇની એ ખોલીમાં મા – બાપ ભાઇઓ સાથે રહીને એક પૈસાનું ઘાસતેલ વાપરીને અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં પણ અનેક સગવડો અને સંકટોનો સામનો કરીને જો હું આટલું કરી શક્યો હોય તો તમને આજે ઘણી સાધન સામગ્રી મળી છે. તમે તેનો ઉપયોગ કરી અશક્યને શક્ય બનાવો. કોઇ પણ માણસ સતત કઠોર પરિશ્રમ અને મહેનતથી પરાક્રમી અને બુદ્ધિશાળી બની શકે છે. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં ઇંગ્લેન્ડ હતો ત્યારે જે અભ્યાસક્રમ આઠ વરસે પૂરો થતો હતો તે અભ્યાસ મેં બે વર્ષ અને ત્રણ મહિનામાં સફળતાથી પૂરો કર્યો હતો. તેના માટે મારે રોજના ચોવીસ કલાકમાંથી અઢાર કલાક અભ્યાસ કરવો પડ્યો હતો. આજે પણ મારે ખુરશી પર રોજના વીસ કલાક કામ કરવું પડે છે. આજના યુવાનોને વ્યસનમાં ડૂબેલા જોઉં છું ત્યારે નારાજ થાવું છું. મને તો આ પાછલી ઉંમરે પણ કોઇ વ્યસન અભ્યાસ માટે કરવું જરૂરી લાગતું નથી. આત્મવિશ્વાસ એ એક દૈવી શક્તિ છે.

કઠોર પરિશ્રમથી જ યશ મળે.

માત્ર નવી પદવી મેળવવાથી જ્ઞાન કે અનુભવ મળતો નથી. પદવી એ કોઇ જ્ઞાન નથી. વિશ્વ વિદ્યાલયોની પદવીઓ અને બુદ્ધિમતાની વચ્ચે કોઇ સંબંધ નથી. જેમકે પંચમ જ્યોર્જ જ્યારે ૧૯૧૧ની સાલમાં હિન્દુસ્તાનમાં વિશ્વવિદ્યાલયોને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી અને નિષ્ણાંત પ્રોફેસરોને બોલાવીને કામ સોંપવામાં આવ્યું. જે લોકો એમ.એ. પાસ કર્યુ હોય તેઓ જ આ વર્ગમાં હાજર રહી શકે. રામાનુજ નામનો ક્લાર્ક માત્ર મેટ્રિક પાસ હતો. તે મહિને વીસ રૂપિયા પગારથી નોકરી કરતો હતો. તેની પ્રબળ ઇચ્છા હોવાથી ગણિત નિષ્ણાંત દ્વારા વ્યાખ્યાન માટે પરવાનગી આપવામાં આવી હતી. રામાનુજે તે પ્રોફેસરના પાંચ- છ વ્યાખ્યાન સાંભળી પોતાની નોટમાં કંઇક લખતો હતો. આ જોઇ ગણિતના પ્રોફેસર ગુસ્સે થયા. કડક શબ્દોમાં ઠપકો આપ્યો. રામાનુજે સ્વસ્થતાથી કહ્યું, મહાશય આપ જે પ્રમેયો ભણાવી રહ્યા છો તે મેં મારી વિદ્યાર્થી અવસ્થામાં જ ઉકેલી નાખ્યા છે. મેં મારી નોટબુકમાં ઉકેલી નાખ્યા છે. જ્યારે આ મહાશય નોટબુક જુએ છે ત્યારે અચરજમાં પડી જાય છે. આ મહાશય ખુદ ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા વિભાગને પત્ર લખી જણાવે છે કે તમે આવા પારંગત વ્યક્તિને મહિને ૨૦ (વીસ) રૂપિયા પગાર આપી કારકૂન રાખો છો તે મોટું દુ:ખ છે. ગણિતના આ પ્રોફેસર આગળ જતાં રામાનુજને  વિલાયત લઇ ગયા. રામાનુજના અપ્રતિમ ગણિતના જ્ઞાનનો લાભ લેવા ભારે પગાર આપી વિદેશ લઇ ગયા અને પોતે આજીવન રામાનુજના વિદ્યાર્થી બની ગયા. આમ વિદ્યાર્થીએ સમજી લેવું જોઇએ કે આપણે બી.એ. પાસ થઇ ગયા એટલે આગળ ભણવાનું કશું બાકી રહેતું નથી એમ માનવું નહિ. સતત જ્ઞાન મેળવતા રહેવું જોઇએ.

ચારિત્ર્યનું મહત્ત્વ.

માનવીમાં જો ચારિત્ર્ય, નૈતિકતા ન હોય તો પ્રાપ્ત કરેલી તમામ વિદ્યા ફોગટ જાય છે. વિદ્યા તલવારની ધાર જેવી છે પણ એનો સઘળો આધાર તેને ધારણ કરવાવાળા પર અવલંબિત છે. કારણ કે અભણ માણસ કોઇને છેતરતો નથી. કોઇને કેમ છેતરવા એની તેને સમજ પડતી નથી. આપણે ભણેલા – ગણેલા લોકો પાસે બીજાને છેતરવાની ચતુરાઇ કે યુક્તિ- પ્રયુક્તિ હોય છે. આમ ભણેલા વ્યક્તિમાં જો શીલતા સદાચાર હોય તો તે બીજા માણસ સાથે લબાડાઇ કે છેતરામણી કરી શકે નહિ. આમ માણસમાં નૈતિકતાનું મૂલ્ય શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે. ભણેલા- ગણેલા નૈતિકતાથી જીવન જીવે તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાના શસ્ત્ર માટે શીલતા અને નૈતિકતા ખરો આધાર છે.

વિદ્યાર્થીજીવન અને રાજકારણ

વિદ્યાર્થીઓએ વિદ્યાનો ઉપયોગ માત્ર  પોતાના પેટ ભરવા પૂરતો ન કરવો જોઇએ. સ્પૃશ્ય સમાજની સરખામણીએ તમારી મુશ્કેલીઓ ઘણી વધારે છે. તમારે ભણી- ગણીને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. બધી રીતે તમારો માર્ગ કાંટાળો છે. કયા ઉપાયથી આ માર્ગ સહેલો બનાવી શકાય તે તમારે વિચારવું પડશે. આપણે બધાએ સંગઠન કરી એકતા ઉભી કરવી પડશે. સમાજમાં આ ભેદભાવની નગરીના કિલ્લામાં ક્યાંક તો તિરાડ પડ્યા વગર રહેવાની જ નથી. વિદ્યાર્થીઓએ વ્યક્તિગત સ્વાર્થ છોડી સંગઠન ઉભું કરવું પડશે. વ્યક્તિગત સ્વાર્થ છોડી સમાજના હિતને ધ્યાને લેવું જોઇએ. જો આપણે એક થઇ કંઇક કરીશું તો આપણા સમાજ પર હજારો વર્ષોથી થતા જુલમ- અત્યાચારોનું નિવારણ થઇ શકશે. આપણે આપણા શીલ, શિસ્ત, સંગઠન, દ્વારા સમાજની ઉન્નતિ કરવી જોઇએ.

ડૉ. આંબેડકરનું જીવન સમગ્ર ભારતમાં જ નહિ પણ વિશ્વના કરોડો દલિતો, પીડિતો, વંચિતો, શોષિતો માટે દિપક સમાન છે. તેમના વિચારો સમાજને વિકાસના માર્ગે લઇ જાય છે. કેળવણીની કેડીયે આંબેડકરજીનું જીવન અને વિચારો શ્રેષ્ઠતમ માનવમૂલ્યોને ઉજાગર કરે છે.

ડૉ. આંબેડકરજીના જીવન અને કવન માટે કવિ કુતુબ ‘આઝાદ’ ની કાવ્યપંક્તિઓ અર્પણ…. હજો…..

ઉકેલે છે ઘણાં મહેનત કરી અઘરી સમસ્યાઓ,

ઘણાં જોતા રહે છે જિંદગીભર હસ્તરેખાઓ.

નથી પુરુષાર્થ કંઇ કરતાં, નથી કરતાં પ્રયાસો કંઇ,

કરી શકતાં નથી સાકાર તેઓ કોઇ સ્વપ્નાઓ.

હશે જો ધ્યેય લોખંડી તો મંઝિલ પણ મળી જશે,

ભલેને માર્ગમાં કોઇ કરે કંટક પથારાઓ.

કસોટીનાં સમય ટાણે પરાયા કામ નહિ આવે,

બધા છે સ્વાર્થનાં સાથી અમારાને તમારાઓ.

પ્રભુને જ્યાંને ત્યાં શોધો નહીં દિલમાં વસે છે એ,

ધૂતારાઓ લઇ બેઠા છે ઇશ્વરનાં ઇજારાઓ.

કદી તૂફાનમાં મરશું તો સ્વાગત ભવ્ય થવાનું,

કિનારે લાશને મૂકી જાશે આવીને મોજાઓ.

પ્રવાહોને સમયનાં ઓળખી ‘આઝાદ’ જે ચાલે,

ગમે તે ક્ષેત્રમાં જઇને બને છે એ વિજેતાઓ.

 

 

About shikshanpravin

શિક્ષણ
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a comment